Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

દરેક ખેલાડીઓને તક આપવામાં આવશેઃ દ્રવિડ

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમના કોચ પદે નિયુકત થયેલા રાહુલ દ્રવિડે કહ્યું હતું કે સિરીઝમાં દરેક ખેલાડીને તક આપવામાં આવશે. આ પહેલા દ્રવિડ ઈન્ડિયાએ અને અન્ડર-૧૯ ટીમના ટોચ હતા. ત્યારે પણ આજ રણનીતિ અપનાવતા હતા. દ્રવિડ કહ્યું કે જયારે તે જુનિયર લેવલે રમતા હતા. ત્યારે દરેક ખેલાડીને રમવાની તક મળતી ન હતી. તમે જિલ્લા કક્ષા લેવલે ૭૦૦- ૮૦૦ રન બનાવો છો. પછી રાષ્ટ્રીય લેવલે તમને તમારી પ્રતિભા દર્શાવવાનો મોકો મળતો નથી. જેથી ફરીથી ઘરેલું ક્રિકેટમાં રન બનાવવા પડતા હતા.

(4:06 pm IST)