Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પાકિસ્તાનની ટીમને હળવાશથી લેવાની ભૂલ ન કરે ભારત: રાજકુમાર શર્મા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ શનિવારે કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયા આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન કરતા સારી ટીમ છે, પરંતુ ભારતે પાકિસ્તાનની ટીમને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. ભારત અને પાકિસ્તાનની ટીમો રવિવારે સાંજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાશે. રાજકુમારે કહ્યું કે ભારતે આત્મસંતુષ્ટ કે વધુ પડતા આત્મવિશ્વાસની જરૂર નથી કારણ કે પાકિસ્તાન એવી ટીમ છે જે કોઈને પણ ચોંકાવી શકે છે. "ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રોમાંચક હોય છે. ભારતે હંમેશા પાકિસ્તાનને વર્લ્ડકપમાં હરાવ્યું છે અને મને આશા છે કે આવતીકાલે પણ આવું જ પરિણામ આવશે."

(5:03 pm IST)