Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વિરાટ- રોહીત બન્‍ને જલ્‍દીથી પોતાના ફોર્મમાં પરત ફરશેઃ ઈરફાન

નવી દિલ્‍હીઃ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્‍ડરે કહ્યું છે કે મુંબઈ ઈન્‍ડિયન્‍સના કેપ્‍ટન રોહિત શર્મા અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરના પૂર્વ કેપ્‍ટન વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે બંનેના ખરાબ ફોર્મને લઈને એક ટ્‍વિટ કર્યું છે.  ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્‍ડરે પોતાના ટ્‍વીટમાં લખ્‍યું છે કે મુંબઈ ઈન્‍ડિયન્‍સ (MI)ના કેપ્‍ટન રોહિત શર્મા અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર (RCB)ના ભૂતપૂર્વ કેપ્‍ટન વિરાટ કોહલી જે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ ટૂંક સમયમાં પરત ફરશે.

(3:39 pm IST)