Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે અને ટી-૨૦ સિરીઝ માટે રોહીત ફીટઃ આ અઠવાડીયામાં ટીમની જાહેરાત થશે

બુમરાહને આરામ અપાશે, ભુવનેશ્વર ટીમની બહાર થઇ શકે, અશ્વિનનું સ્થાન પાકુઃ અમદાવાદમાં ત્રણ વન-ડે અને કોલકતામાં ત્રણ ટી-૨૦ મેચ રમાશે

 

મુંબઈઃ  વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે અને ટી-૨૦ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત આ સપ્તાહે જ થઈ શકે છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે દ.આફ્રિકાના પ્રવાસે ન જઈ શકનાર કેપ્ટન રોહિત શર્મા ટીમમાં પરત ફરી શકે છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે,'રોહિત ફિટ છે અને વિન્ડીઝ વિરુદ્ધ સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.'

જ્યારે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ બાદથી જ ટીમની બહાર છે. તેણે ફરી નેટ્સ પર બોલિંગ શરૂ કરી દીધી છે. વિન્ડીઝ વિરુદ્ધ તેને ટીમમાં તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.દ.આફ્રિકા પ્રવાસે તમામ મેચ રમનાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આરામ આપવામા આવી શકે છે. દ.આફ્રિકા વિરુદ્ધ નિષ્ફળ રહેનાર ભુવનેશ્વર ટીમની બહાર થઈ શકે છે. પરંતુ અશ્વિનને વધુ  તક મળી શકે છે. વન-ડેની ત્રણેય મેચ ૬,૯,૧૧ ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.૧૬ ફેબ્રુઆરીથી ટી-૨૦ સીરિઝ કોલકાતામાં રમાશે.

  રોહિત શર્માને જ ટેસ્ટ કેપ્ટન બનાવાશે એ નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે, રોહિતના વર્કલોડ અને ઈજાની શક્યતાઓને જોતા બોર્ડ ભાવિ વિકલ્પો અંગે વિચારી શકે છે. ટીમે ૨૦૨૨ અને ૨૦૨૩ માં સતત બે વર્લ્ડ કપ રમવાના છે. દ.આફ્રિકામાં લોકેશ રાહુલનું ટેસ્ટ મેચ અને વન-ડે સીરિઝમાં કેપ્ટન તરીકે પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

(1:34 pm IST)