Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ધોનીની મેન્ટર તરીકેની ભૂમિકાથી ટીમને જરૂર ફાયદો થશેઃ ટી-૨૦માંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય વિરાટનો જ હતો

બીસીસીઆઈના અરૂણ ધૂમલ કહે છે

નવીદિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત થયાના લગભગ એક વર્ષ પછી, મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર આગામી મહિને ભારતીય ટીમમાં વાદળી જર્સી પહેરેલો જોવા મળશે. જો કે આ વખતે તે એક અલગ રોલમાં જોવા મળશે. બીસીસીઆઈના ખજાનચી અરૂણ ધમૂલે કહ્યું કે કેમ્પમાં અનુભવીઓની હાજરીથી ભારતને ચોકકસપણે ફાયદો થશે.

વિરાટે કોહલીનો ટી-૨૦ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય તેનો પોતાનો હતો કે બીસીસીઆઈએ તેને મજબૂર કર્યો હતો તે અંગે ધૂમલે કહ્યું બોર્ડે તેમને પદ છોડવાનું કહ્યું ન હતું. તે સંપૂર્ણપણે તેમનો જ નિર્ણય હતો.

(3:16 pm IST)