Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભાવનગરમાં વધુ ૬૫ કેસો : લોકોમાં ફફડાટ

ભાવનગર તા. ૨૯ : ભાવનગર જિલ્લામા વધુ૬૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૬૬૯ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૨૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૩૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા  સોડવદરા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, ઘોઘા તાલુકાના સાણોદર ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, મહુવા તાલુકાના ધરાઈ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના દુધાળા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૫, સિહોર તાલુકાના અગિયાળી ગામ ખાતેઙ્ગ ૧, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના સાથરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૪, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૨૯ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૬૬૯ કેસ પૈકી હાલ ૫૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૦૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:22 am IST)