Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વડાપાઉનો મસાલો બનાવતી વખતે દાઝેલા સણોસરીના કનુભાઇ નિમાવતનું મોત

ખાણીપીણીના ધંધાર્થી બાવાજી યુવાને રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૯: ગીર સોમનાથના ગીરગઢડા તાબેના સણોસરી ગામે રહેતાં કનુભાઇ બિહારીદાસ નિમાવત (ઉ.વ.૪૦) ગત તા. ૨૦ના રોજ દાઝી જતાં સારવાર માટે ઉના, જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ગીર સોમનાથ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કનુભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ખાણીપીણીનો ધંધો કરતાં હતાં. ૨૦મીએ વડાપાઉ માટેનો બટેટાનો મસાલો સ્ટવ પર બનાવી રહ્યા હતાં ત્યારે અચાનક ભડકો થતાં દાઝી ગયાનું પોલીસને જણાવાયુ હતું.

(11:29 am IST)