Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ટીવી શોમાં ગુણવત્તા નથી રહીઃ માનસી

અભિનેત્રી માનસી પારેખે ટીવી પરદે કિતની મસ્‍ત હૈ જિંદગથી, કસોૈટી જિંદગી કી, યે હેૈ મહોબ્‍બતે સહિતની સિરીયલોમાં કામ કર્યુ છે. તેના આ શોના પાત્રોએ દર્શકોને મંત્રમુગ્‍ય કર્યા હતાં. માનસી છેલ્લે વર્ષ ૨૦૧૬માં સુમિત સંભાલ લેગા શોમાં જોવા મળી હતી. એ પછી ટીવી પરદે પાછી આવી નથી. માનસી હવે ટીવીને બદલે અન્‍ય માધ્‍યમોમાં કામ કરી રહી છે. માનસી કહે છે હું જાણુ છું કે ટીવી પરદાની પહોંચ ખુબ લાંબે સુધી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં ફિક્‍શન શોની કહાનીઓમાં ગુણવત્તા રહી નથી. તો આવા શો માટે કરવી પડતી મહેનતમાં કોઇ ફરક પડયો નથી. તો આવા શોમાં કામ શા માટે કરવું. માનસી પારેખ કહે છે મેં છેલ્લે સુમિત સંભાલ લેગા શો કર્યો એ ખુબ જ સરસ હતો. દર્શકોને પણ એ શો ગમ્‍યો હતો. એ પછી હું ગર્ભવતી થઇ હતી. હવે મારી દિકરી પાંચ વર્ષની થઇ ગઇ છે. હવે મારી પુત્રી સાથે મારું કામ પણ મહત્‍વનું બન્‍યું છે. તાજેતરમાં આવેલી ફિલ્‍મ ડીયર ફાધરમાં પણ માનસી મુખ્‍ય ભુમિકામાં હતી.

(10:27 am IST)