Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

હજુ પણ ભેદભાવ રખાય છેઃ દેવોલીના

ટીવી પરદાની અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યજી કહે છે ટીવીના કલાકારો માટે હજુ પણ ભેદભાવ રખાય છે. દેવોલીનાને ચાહકો ટીવી શો સાથ નિભાના સાથીયાની ગોપી વહુથી વધુ ઓળખે છે. દેવોલીનાએ હાલમાં જ શોર્ટ ફિલ્‍મમાં કામ કર્યુ છે. આ ફિલમ હોસ્‍ટસ્‍ટાર પર રિલીઝ થશે. પંચોતેરમાં કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં હિના ખાને ઇન્‍ડસ્‍ટ્રીમાં થતા ભેદભાવ વિશે વાત કરી હતી. આ વિશે પૂછતાં દેવોલીનાએ કહ્યું કે અમે લોકો બે રીતે વાત કરીએ છીએ. એક તો પોલિટિકલી કરેક્‍ટ રહેવા માટે જે બોલીએ છીએ એ અને બીજું જે છે એ શબ્‍દેશબ્‍દ કહીએ છીએ. આજે આપણે એવું ઘણી વાર સાંભળીએ છીએ કે ટીવી, ઓટીટી અને બોલીવુડ વચ્‍ચેની રેખા હવે ભૂંસાઈ રહી છે. જોકે સત્‍ય એ છે કે ભેદભાવ હજી પણ કરવામાં આવે છે અને હિના ફક્‍ત સત્‍ય કહી રહી હતી. આજે પણ અમે જ્‍યારે ફિલ્‍મના ઓડિશન માટે જઈએ છીએ ત્‍યારે અમને મોટા ભાગે રિજેક્‍ટ કરવામાં આવે છે કે તમે તો ટીવી એક્‍ટર છો. 

(9:54 am IST)