Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

હું વધુ નમ્ર બનવા પ્રયાસ કરુ છું : કાર્તિક

અભિનેતા કાર્તિક આર્યને બોલીવૂડમાં જે સફળતા મેળવી છે તે તેની મહેનતને આભારી છે. તેને પ્‍યાર કા પંચનામા ફિલ્‍મ ઓડિશનથી જ મળી હતી. આજે તે સુપરસ્‍ટારથી ઓછો જરાય નથી. આમિર ખાન અને અક્ષય કુમારની ફિલ્‍મો જે કરી ન શકી એ કાર્તિકની ભૂલભૂલૈયા-૨એ કરી દેખાડયું છે. કાર્તિક કહે છે હું એક સમયે ભીડનો ભાગ હતો, આજે એની સામેની તરફ છું. પરંતુ આમ છતાં હું જમીન સાંથે બંધાયેલો છું. મારો પરિવાર, મિત્રો, ચાહકો મને જમીન સાથે બાંધી રાખે છે અને વધુ મહેનત કરવા આગળ ધકેલે છે. સફળતાથી હું હવામાં ઉડવાને બદલે વધુ નમ્ર બનવા પ્રયાસ કરુ છું. નિષ્‍ફળતામાંથી શીખવાનું હોય છે, એક એક્‍ટર તરીકે હું સ્‍ક્રિપ્‍ટને ડિરેક્‍ટરને મારું બેસ્‍ટ આપી દઉ પછી જે થાય એ દર્શકોના હાથમાં હોય છે. સોશિયલ મિડીયામાં તમારુ અસલી વ્‍યક્‍તિત્‍વ ઝળકવું જોઇએ, બનાવટી નહિ. નિખાલસ અને સાચા રહો. હું મારુ સોશિયલ મિડીયા જાતે સંભાળુ છું અને તેના થકી મને લોકોનો ભરપુર પ્રેમ મળતો રહે છે. આ પ્રેમ જ મને દોડતો રાખે છે અને પ્રેરણા આપે છે.

(12:24 pm IST)