Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ત્રણ ફિલ્‍મોના કામમાં વ્‍યસ્‍ત રણવીરસિંહ

રણવીર સિંહ બોલીવૂડમાં મોટો ચાહક વર્ગ ધરાવે છે. જો કે છેલ્લે આવેલી તેની ફિલ્‍મ ૮૩ ખાસ કમાલ કરી શકી નહોતી. હવે ચાહકો તેની નવી ફિલ્‍મોની રાહ જોઇ રહ્યા છે. હાલમાં રણવીરસિંહ ત્રણ ફિલ્‍મોના કામમાં સતત વ્‍યસ્‍ત છે. ત્‍યાં હવે સાઉથના જાણીતા નિર્દેશક એસ. શંકરે પણ રણવીરસિંહને લઇને બાહુબલી જેવી પાન ઇન્‍ડિયા ફિલ્‍મ બનાવવાની જાહેરાત કરી છે. આ માટે તેણે રણવીરસિંહ સાથે હાથ મીલાવ્‍યા છે.  તેમણે પોતાની કારકિર્દીની સૌથી મોટી અને ભવ્‍ય ફિલ્‍મ બનાવવા માટે તમિલ સાહિત્‍યના જાણીતા મહાકાવ્‍ય વેલપરીમાંથી સ્‍ટોરી ડેવલપ કરી છે. આ ફિલ્‍મમાં મનોરંજનની સાથે મેસેજ પણ હશે અને હૃદયસ્‍પર્શી લવસ્‍ટોરી પણ જોવા મળશે. ત્રણ ભાગમાં આ ફિલ્‍મ બનશે. મે-જુનમાં શુટીંગ શરૂ કરાશે. હાલમાં રણવીર ત્રણ ફિલ્‍મોના કામમાં વ્‍યસ્‍ત છે. રોહિત શેટ્ટીની ફિલ્‍મ સર્કસ, કરણ જોહરની  રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરામાં તે કામ કરી રહ્યો છે.

(10:21 am IST)