Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

હિન્દી-મરાઠી ફિલ્મોના દિગ્ગજ કલાકાર સુનીલ શેંડેનું અવસાન

બોલિવૂડને વધુ એક આંચકો

મુંબઈ, તા.૧૪ :  લોકપ્રિય હિન્દી ફિલ્મોમાં કામ કરનાર મરાઠી સિનેમાના દિગ્ગજ કલાકાર સુનીલ શેંડેનું નિધન થયું છે. જેમણે 'ગાંધી', 'સરફરોશ' અને 'વાસ્તવ' જેવી લોકપ્રિય હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયનાં ઓજસ પાથર્યા હતા.

સુનીલ શેંડેએ મુંબઈમાં તેમના વિલે પાર્લે પૂર્વના નિવાસ સ્થાને સવારે ૧ વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે બપોરે પારશીવાડા સ્થિત સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

સુનીલના પરિવારમાં તેની પત્ની જ્યોતિ અને બે પુત્રો હૃષિકેશ અને ઓમકાર છે. આવા દિગ્ગજ કલાકારનાં મૃત્યુથી બોલિવુડમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

(7:49 pm IST)