Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આદિત્ય નારાયણ ઠનઠન ગોપાલઃ બેંકમાં છે માત્ર ૧૮ હજાર બેલેન્સ!

મહામારીએ મારી તમામ બચત વપરાઇ ગઇ છેઃ હવે મારા અકાઉન્ટમાં માત્ર ૧૮,૦૦૦ રૂપિયા જ બચ્યા છે

નવી દિલ્હી, તા.૧૫: કોરોના વાયરસ મહામારીએ આમ આદમીથી લઇ સેલિબ્રિટીઝ સુધી તમામની જીંદગી સંપૂર્ણ બદલી નાંખી છે. એક તરફ જયાં ગરીબ મજૂરોને તેમનાં દ્યરે પરત જવાની સમસ્યા છે. ત્યાં સિંગર ઉદિત નારાયણ નાં દીકરા આદિત્ય નારાયણ તેમની આર્થિક તંગી અંગે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણું જણાવ્યું હતું. સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણે જણાવ્યું કે, કોરોના વાયરસ  મહામારીમાં મારી તમામ બચત વપરાઇ ગઇ છે.

 આદિત્યએ જણાવ્યું હતું કે, મારા અકાઉન્ટમાં હવે માત્ર ૧૮,૦૦૦ રૂપિયા પડ્યાં છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ એવાં સમાચાર હતાં કે, આદિત્ય તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે આ વર્ષનાં અંતમાં લગ્ન કરવાનો છે.

 આદિત્ય નારાયણએ વધુમાં જણાવ્યું કે, હું બિલિયોનેર નથી, હવે મારી પાસે સેવિંગનાં નામે અકાઉન્ટમાં ફકત ૧૮ હજાર રૂપિયા જ બચ્યા છે. તેથી મે ઓકટોબરમાં જ કામ કરવાનું શરૂ ન કર્યું તો મારી પાસે જરાં પણ રૂપિયા નહીં બચે. મારે મારી બાઇક વેચવી પડી શકે છે.

 આદિત્યએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે આ વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરવાનો છે. તે એકટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે છેલ્લા ૧૦ વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે આટાં વર્ષોથી એક બીજાને ડેટ કર્યા બાદ હવે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આદિત્ય જણાવે છે કે, તેની અને શ્વેતાની મુલાકાત વર્ષ ૨૦૧૦માં ફિલ્મ 'શાપિત'ના સેટ પર થઇ હતી.

(3:43 pm IST)