Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

નવા ગીતનું પોસ્ટર શેર કરતા નેહા કક્કડના લગ્ન અંગે દ્વિધા

નેહૂ દા વ્યાહનું પોસ્ટર શેર કર્યું : નેહાએ ઈન્સ્ટા પર રોહનપ્રીત સાથેના અપકમિંગ સોન્ગનું પોસ્ટર શેર કર્યું જેનાથી વિશાલ દદલાની કન્ફ્યૂઝ થયો

મુંબઈ,તા.૧૫ : છેલ્લા કેટલાક દિવસોથી નેહા કક્કડ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, કે ૨૪ ઓક્ટોબરે પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આટલું જ નહીં થોડા દિવસ પહેલા નેહા અને રોહનપ્રીતની રોકા સેરેમનીની એક તસવીર પણ સામે આવી હતી. તો નેહા હમણાંથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ શેર કરી રહી છે. આ દરમિયાન નેહાએ પોતાના અપકમિંગ સોન્ગ 'નેહૂ દા વ્યાહ'નું પોસ્ટર શેર કર્યું છે, જે બાદ સિંગર વિશાલ દદલાનીની સાથે-સાથે ફેન્સ પણ મૂંઝવણમાં મૂકાયા છે. તેઓ વિચારમાં પડી ગયા છે કે, નેહા સાચેમાં લગ્ન કરવા જઈ રહી છે કે પછી તેનું રોહનપ્રીત સિંહ સાથેનું કોઈ નવું સોન્ગ રિલીઝ થવા જઈ રહ્યું છે. નેહાએ જે પોસ્ટર શેર કર્યું છે તેના પર લખ્યું છે કે, નેહા વેડ્સ રોહનપ્રીત સિંહ. સાથે જ તારીખ લખી છે ૨૧ ઓક્ટોબર. જેને લઈને હવે ફેન્સના મનમાં તે સવાલ ઉભો થયો છે કે, શું તે સાચેમાં લગ્ન કરવાની છે કે તેનો આગામી પ્રોજેક્ટ છે? કારણ કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે

              તો પોસ્ટરમાં એમ કેમ લખ્યું છે કે, લિરિક્સ અને કમ્પોઝિશન બાય નેહા કક્કડ? ઈન્ડિયન આઈડલ ૧૨'નો કો-જજ વિશાલ દદલાની પણ કન્ફ્યૂઝ થઈ ગયો છે અને તેણે આ પોસ્ટર પર કોમેન્ટ કરીને નેહાને પૂછ્યું છે કે, 'અરે હવે હું ફરીથી કન્ફ્યૂઝ થઈ ગયો છું. નેહા અને રોહન આ લગ્નની વાત થઈ રહી છે કે પછી તમારા નવા સોન્ગ અથવા ફિલ્મની? સ્પષ્ટ કહો, કપડા સીવડાવવાના છે કે પછી ડાઉનલોડ/લાઈક/શેર કરવાનું છે? હવે નેહા અને રોહનપ્રીત સાચેમાં લગ્ન કરવા જઈ રહ્યા છે કે નહીં તે જાણવા માટે ફેન્સને રાહ જોવી પડશે. ઈન્ડિયન આઈડલ ૧૧ દરમિયાન પણ નેહાના લગ્નના ન્યૂઝ સામે આવ્યું હતું. તેનું નામ શોના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે જોડાયું હતું. જો કે, બાદમાં તેને પબ્લિસિટી સ્ટંટ જાહેર કરવામાં આવ્યું હતું.

(7:27 pm IST)