Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

કિશ્વર મર્ચન્‍ટનું ટીવી પરદે કમબેક

ટીવી પરદે બે દાયકા કરતાં વધુ સમયથી કામ કરી રહેલી અભિનેત્રી કિશ્વર મર્ચન્‍ટ લાંબો સમય બ્રેક લીધા પછી ફરીથી ટીવી પરદે આવી છે. કિશ્વરે મેટરનીટી લીવ લીધી હતી. ‘ફના - ઇશ્‍ક મેં મરજાવાં' ટીવી શોમાં હવે કિશ્વર મર્ચન્‍ટની એન્‍ટ્રી થઈ  છે. કિશ્વરે કલર્સ પર આવતા આ શો દ્વારા કમબેક કર્યુ છે. આ શોમાં તે મીરા રાયચંદનું પાત્ર ભજવશે. મીરા આ શોમાં અગસ્‍ત્‍યની સ્‍ટેપ મોમ તરીકે એન્‍ટ્રી કરી રહી છે જેની સાથે તેનો ક્‍લોઝ બોન્‍ડ હોય છે. આ વિશે કિશ્વરે કહ્યું હતું કે મારા દીકરા સાથે સમય પસાર કરવા માટે મેં બ્રેક લીધો હતો. હું હવે ફરીથી કેમેરા સામે આવવા તૈયાર છું અને ‘ફના- ઇશ્‍ક મેં મરજાવાં'માં કામ મળતાં હું ઉત્‍સાહી છું. આ રોલ મને ઓફર થતાં તેના ગ્રે શેડને કારણે મેં તરત જ હા કહી દીધી હતી. કિશ્વર ૧૯૯૭થી ટીવી પરદે કામ કરી રહી છે. કયા હાદસા કયા હકીકત, હાતિમ, કાવ્‍યાંજલિ, કસમ સે, કસોટી જિંદગી કી, ગીત, છોટી બહૂ, કહાં હમ કહાં તુમ સહિતના શો તે કરી ચુકી છે. ફિલ્‍મ ભેજાફ્રાય-૨માં પણ તેણે કામ કર્યુ હતું.  

 

(10:11 am IST)