Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

આવી ફિલ્‍મો મને વાસ્‍તવીક નથી લાગતીઃ વાણી કપૂર

વાણી કપૂર આગામી ફિલ્‍મ શમશેરાને કારણે ચર્ચામાં છે. આ ફિલ્‍મમાં તે રણબીર કપૂર અને સંજય દત્ત સાથે છે. તે કહે છે  મને રણબીરના અભિનયમાં હમેંશા પ્રમાણિકતા અને સત્‍યતા દેખાય છે. તે વિવિધ ભુમિકાઓ ભજવી શકે છે. મારે આવી કળા વિકસાવવી છે. સંજય દત્તના પણ તેણે વખાણ કર્યા હતાં. ચંદીગઢ કરે આશિકીમાં ટ્રાન્‍સવૂમન બનેલી વાણી હોરર ફિલ્‍મોથી દૂર જ રહેવા ઇચ્‍છે છે. તે કહે છે આવી ફિલ્‍મો મને વાસ્‍તવીક લાગતી જ નથી. મને દર્શકોને ચોંકાવનારી ભુમિકાઓ વધુ ગમે છે. ૨૦૧૩માં શુધ્‍ધ દેસી રોમાન્‍સથી કારકિર્દી શરૂ કરનાર વાણીને સાઉથની ફિલ્‍મો કરવાની પણ ઇચ્‍છા છે. દક્ષિણની ફિલ્‍મોના સુપરસ્‍ટાર અર્જુનની ડાન્‍સ સ્‍ટાઇલ તેને ખુબ ગમે છે. તે અતરંગીના ધનુષના અભિનય પર ફીદા થઇ ગઇ હતી. વાણીને આશા છે કે મને પણ અનોખી અને વિવિધ પ્રકારની ભુમિકા નિભાવવાની તક સતત મળશે. વાણીને કોમેડી, રોમાન્‍ટીક અને થ્રિલર તથા સસ્‍પેન્‍સ ફિલ્‍મો પણ કરવી છે. જો કે સ્‍ક્રિપ્‍ટ અને વાર્તા તેના માટે મહત્‍વના છે.

 

(10:12 am IST)