Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ડ્રગ્સનો કેસ: એનસીબીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્રની કરી ધરપકડ

મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં સિધ્ધાર્થ પીથાનીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. સિદ્ધાર્થની ધરપકડ બાદ એનસીબીની ટીમે તેને મુંબઇ લાવી હતી. સિદ્ધાર્થ સુશાંતની નજીક હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ સુશાંત ગત વર્ષે 14 જૂને બાંદરામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ પછી, તે ડ્રગ્સનો વ્યસની હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ એનસીબીએ આ કેસની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં એનસીબીએ અનેક ધરપકડ કરી છે અને બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સની પૂછપરછ કરી છે.

(5:52 pm IST)