Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજપીપળા એસટી ડેપોથી ઉપડતી બસો જેલ તરફથી નહિ જતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ને મુશ્કેલી

ગામડાઓમાંથી સામાન ખરીદી કરી ઘરે જતા મુસાફરોને રાજપીપળા બજારમાંથી રીક્ષા ભાડું બગાડી એસટી ડેપોમાં જવું પડતા આર્થિક મુશ્કેલી

(ભરત શાહ દ્વાર) રાજપીપળા : રાજપીપળા શહેરમાં સ્ટેટ સમયથી ડેપોમાંથી ઉપડતી એસટી બસો જૂની સબ જેલ થઈ જતી હતી પરંતુ ઘણા સમયથી આ બસો વાયા કાળિયાભૂતથી જતા આસપાસ ના ગામડાઓમાંથી રાજપીપળા ખરીદી અર્થે આવતા મુસાફરોને સામાન સાથે રીક્ષાનું ભાડું બગાડી ડેપોમાં જવું પડે છે તેમજ ભરૂચ અંકલેશ્વર તરફ નોકરી ધંધા અર્થે જતા આવતા મુસાફરોને પણ આ રૂટ બંધ થતાં મુશ્કેલી વેઠવી પડતી હોય તંત્ર દ્વારા બસો સ્ટેશન રોડ જેલ તરફથી શરૂ કરાઇ તો લોકોને વેઠવી પડતી મુશ્કેલી હલ થાય તેવી માંગ ઉઠી છે.
  આ બાબતે નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસે ટેલિફોનિક વાત માં જણાવ્યું કે આમ તો કાયદો અને વ્યસ્થાના ભાગરૂપે એસટી નો રૂટ બદલાયો છે,છતાં આ બાબત ને અમે પ્રેક્ટિકેબલ બનાવવા પ્રયાસ કરીશું.

(9:12 am IST)