Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

I.A.S. - G.A.S.અધિકારીઓની બદલીને ફરી બ્રેક

કોરોનાના કારણે વધુ એક વખત બદલીઓ અટકી : પરિસ્થિતિ હળવી પડે પછી જ ઘાણવો

રાજકોટ, તા. ર :  રાજય સરકાર એપ્રિલના આરંભે જ વહીવટી તંત્રના અધિકારીઓની મોટાપાયે બદલી કરે તેવી ધારણા હતી પરંતુ સરકારના ટોચના વર્તુળો આવી શકયતા નકારે છે. કોરોનાના કેસમાં ઉછાળો આવતા સામુહિક બદલીને વધુ એક વખત બ્રેક લાગી છે સાબરકાંઠા કલેકટર, પંચમહાલ અને સોમનાથના ડી.ડી.ઓની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. જરૂરીયાત મુજબ પરચુરણ હુકમ થઇ શકે છે.

રાજયમાં જી.એ.એસ. અને આઇ.એ.એસ.કેડરના અધિકારીઓની બદલીની વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ગઇકાલે વિધનસભા સત્ર પુરૂ થતા અધિક કલેકટર, કલેકટર, ડી.ડી.ઓ, સચિવો વગેરેની બદલીની ચર્ચાઓ જોર પકડેલ પણ હાલ સરકારે તે દિશામાં વિચારણા માંડીવાળી છે. કોરોનાની પરિસ્થિતિ હળવી પડે પછી જ બદલીનો ઘાણવો નીકળશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે.

(12:47 pm IST)