Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પ્રતાપપરા ગામમાં ઉછીના લીધેલા રૂ.૭૧,૦૦૦ પરત માંગનારને જાનથી મારી નાંખવાની ધમકી: ત્રણ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામના વ્યક્તિએ આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા ઝગડો કરી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રઘુવિરસિંહ અમરસિંહ વસાવા ઉવ.૩૨, રહે. પ્રતાપપરા ની ફરીયાદ મુજબ તેમણે ગામના એક મિત્ર પ્રકાશભાઈ કંચનભાઈ વસાવા જ્યારે જરૂર પડે ત્યારે થોડા થોડા કરીને કુલ રૂપીયા ૭૧,૦૦૦ આપેલા જે રૂપીયા ફેબ્રુઆરી માસમાં આરોપી તેની પાસેથી પરત માંગેલા જે બાબતે ગઈ તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજ પ્રકાશે તને શેના રૂપીયા જોઈએ છે તેમ કહી બોલાચાલી કરી હવે પછીથી રૂપીયા માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપનાર પ્રકાશ કંચન વસાવા તેમના પત્ની ઝવેરાબેન પ્રકાશભાઈ વસાવા તથા માતા ગંગાબેન કંચનભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ કરતા આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:46 am IST)