Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

વિરમગામ ઠકકર બાપા કોલોનીમાં વાલ્મિકી સમાજનો દ્વિતીય સમૂહ લગ્નમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

સમૂહ લગ્નમાં વિવિધ દાતાઓએ નવવયુગલોને વિવિધ ભેટ સોગાદો આપીને આશીર્વાદ આપ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ ઠકકર બાપા કોલીની ખાતે સમસ્ત ખારપાટ ઋષિ સમાજ સેવા માંડલ, વિરમગામ અને ગોવાણિયા પરિવાર તથા ઠકકર બાપા કોલોની વાલ્મિકી વસ્તી પરિવાર દ્વારા બીજો સમુલગ્ન યોજાયો હતો. જેમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં વિવિધ દાતાઓએ નવવયુગલોને વિવિધ ભેટ સોગાદો આપીને આશીર્વાદ આપ્યા હતા. જેમાં વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, અજિતભાઈ ખુદડીયા, કમલાબેન ગુર્જર, નીતિન ગુર્જર, કિરીટ રાઠોડ, નરોત્તમભાઈ રાઠોડ, સુરેશભાઈ ગુર્જર સહિત આગેવાનો ઉપસ્થિત રહીને નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગનને સફળ બનાવવા માટે ગોવાણિયા પરિવાર અને સમસ્ત ઠકકર બાપા વાલ્મિકી સમાજ અને જ્યંતીભાઈ ભગત, મનુભાઈ ગોવાણિયા, ગણપતભાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્વયંમ સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(2:04 pm IST)