Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વડોદરામાં દિપક નાઇટ્રેટ પરીસરની આસપાસના સ્‍થળાંતર થયેલાની વહારે અટલાદરા બીએપીએસ શ્રી સ્‍વામિનારાયણ મંદિર

રાજકોટઃ નંદેસરી ખાતે દિપક નાઇટ્રેટ કંપનીમાં મોટી આગ લાગતાં ફેકટરીની આસપાસના લોકોને સાવચેતીના પગલાં રૂપે નંદેસરીથી રણોલી હંગામી સ્‍થળાંતર કરેલા છે. આ બાબતે પ્રસાશન અને મહાનુભાવો દ્વારા બીએપીએસ શ્રી સ્‍વામિનારાયણ મંદિર અટલાદરાનો સંપર્ક કરતા સમાજ સેવામાં સદૈવ અગ્રેસર રહેતી આ સંસ્‍થાએ તાત્‍કાલિક યુધ્‍ધના ધોરણે એક હજાર વ્‍યકિત માટે ગરમ વઘારેલી ખીચડી મોકલી છે. તેમજ મંદિર ખાતે પૂજય સંતોએ તેઓની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે.

(3:28 pm IST)