Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આસામ બટાલિયનમાં ફરજ બજાવતા સૈનિક શકિતસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રધ્ધાંજલિ અપાઇ

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાર્થિવ દેહને શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા

અમદાવાદ,તા.૪  : આસામબટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શકિતસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે. તેઓનો પાર્થિવદેહ આજે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એરપોર્ટ ખાતે સ્વ. શકિતસિંહના પાર્થિવ દેહને શ્રદ્ઘાંજલિ અર્પી હતી. શકિતસિંહ ભારતીય સેનામાં ઇલેકટ્રોનિક અને મિકેનિકલ એન્જિનિયર કોર્પસમાં સેવા આપી રહ્યા હતા. તા ૩૧ જુલાઈના રોજ હૃદયરોગના હુમલાના કારણે તેઓનું દુઃખદ અવસાન થયું હતું.સ્વર્ગસ્થના પાર્થિવદેહને અમદાવાદ થી તેમના વતન લઈ જવાયો હતો.આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા તથા આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)