Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

વડોદરા નજીક સેવાસી ભીમપુરા વિસ્તારમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા ત્રણ શ્રમજવી પૈકી બે સગા ભાઈઓના મોતથી અરેરાટી

વડોદરા:નજીક સેવાસી ભીમપુરા વિસ્તારમાં નર્મદા કેનાલ માં ડૂબી ગયેલા ત્રણ શ્રમજીવી પૈકી બે સગા ભાઈઓના મોત થયા હતા.

ઝારખંડથી આવેલા અને એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટર રોડનું કામ કરતા શ્રમજીવીઓ વડોદરા પાસે ભીમપુરા વિસ્તારની વસાહતમાં રહેતા હતા. ગઈકાલે મોડી સાંજે શ્રમજીવીઓ ભીમપુરા સેવાસી વિસ્તારની કેનાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડૂબવાનો બનાવ બન્યો હતો.

અજય ભોઇચા, તેનો ભાઈ વિનોદ ભોઇચા અને સરજુ પસાર થઇ રહ્યા હતા ત્યારે એક જણ કેનાલમાં લપસી પડતાં તેની સાથે બીજા બે જણા પણ કેનાલમાં પડ્યા હતા. જે પૈકી બે ભાઈઓ લાપતા થયા હતા જ્યારે સરજુ બચીને બહાર નીકળી ગયો હતો.

બનાવના પગલે આજે સવારે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાતા ફાયર બ્રિગેડે શોધખોળ કરી બંને ભાઈ ના મૃતદેહ બહાર કાઢ્યા હતા. વડોદરા તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે

(5:39 pm IST)