Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સીટીલાઈટ કાર્યાલય સુરત ખાતે મતવિસ્તારના લોક પ્રશ્નો માટે લોકદરબાર યોજ્યો

રજુ થયેલ ૧૫૪ પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે પોતાના મત વિસ્તાર મજુરા ગેટ, સુરત ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં શાંતી અને અનુશાશન માટે સતત કાર્યશીલ રહેતા હર્ષ સંઘવી આજે પોતાના મતવિસ્તારના લોકપ્રશ્નો અને રજુઆતો સાંભળવા સીટી લાઈટ ખાતેના કાર્યાલય પર રૂબરુ હાજર રહ્યા હતા.
વિવિધ અરજીઓ સાથે આજે કુલ ૧૫૪ પ્રશ્નો મંત્રી સમક્ષ રજુ થયા હતા જેમાંથી મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તેવા હેતુથી જે તે રજુઆત સંદર્ભે અધિકરીઓ સાથે વાત કરી, લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. હર્ષ સંઘવીના મતવિસ્તારના લોકોએ પણ તેમના આ સરળ અને નિર્ણાયક અભિગમની પ્રશંશા કરી હતી અને પોતાની રજુઆત બાબત યોગ્ય માર્ગદર્શન અને ઝડપી નિકાલ માટે હર્ષ સંઘવીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

   
(7:13 pm IST)