Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સુરતમાં ર૦રર માં, રાજકોટમાં ર૦ર૪માં ગ્લોબલ પાટીદાર સમીટ

રાજકોટ : આજે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે સરદારધામ સંકુલમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી ગગજીભાઇએ જણાવેલ કે ર૦રર માં સુરતમાં અને ર૦ર૪ માં રાજકોટમાં ગ્લોબલ પાટીદાર સમીટ યોજાશે. તેનાથી વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વેગ મળશે. આ સમાજ સરકાર સાથે તાલ મિલાવી વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા માંગે છે. સરકાર અમને સારા કાર્યોમાં ઉપયોગી થઇ રહી છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પ કર્યા  છે. ર૦૧૪માં સરદારધામનું ખાતમુહુર્ત થયેલ આજે પ્રથમ સોપાન પુરૂ થયુ છે.  પ્રથમ હરોળના ઉદ્યોગકારોને એકત્રિત કરાશે. ગ્લોબલ પાટીદાર સમીટથી પ્રેરણા સરકારની વાઇબ્રન્ટ સમીટમાંથી મળી છે ભવિષ્યમાં અમેરિકામાંં આવી સમીટ કરશું.

(3:54 pm IST)