Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

મુખ્યમંત્રીનું રાજીનામુ એ ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવાયેલો નિર્ણય : ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ - કોરોના ના સમયગાળા દરમિયાન ઓક્સિજનનો અભાવ, મૃતદેહો, હોસ્પિટલમાં બેડના મળવો, સ્મશાનગૃહોમાંથી આવતી ભયાનક તસવીરો દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબીને કલંકિત કરવામાં આવી : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ

ગુજરાતમાં વર્ષ 2014 પછી પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ અમારા આંદોલન બાદ આવી અને હવે ફરી એકવાર મુખ્યમંત્રીએ જનતાની ભારે નારાજગી બાદ રાજીનામું આપવું પડ્યું.

રાજકોટ તા.૧૧,મુખ્યમંત્રીનું રાજીનામુ એ ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવાયેલો નિર્ણય છે.ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતુ.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે,ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.  કોરોના ના સમયગાળા દરમિયાન ઓક્સિજનનો અભાવ, મૃતદેહો, હોસ્પિટલમાં બેડના મળવો, સ્મશાનગૃહોમાંથી આવતી ભયાનક તસવીરો દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબીને કલંકિત કરવામાં આવી છે.

રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી, વેપારીઓ સામે આવી રહેલી કટોકટી, યુવાનોમાં વધતી બેરોજગારી, ઉદ્યોગો બંધ થવાથી રાજ્યના લોકો પરેશાન છે.  દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર ક્યાં સુધી પોતાની નિષ્ફળતા છુપાવશે?તેમ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતુ.

ગુજરાતમાં વર્ષ 2014 પછી પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ અમારા આંદોલન બાદ આવી અને હવે ફરી એકવાર મુખ્યમંત્રીએ જનતાની ભારે નારાજગી બાદ રાજીનામું આપવું પડ્યું. પરંતુ વાસ્તવિક પરિવર્તન આવતા વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી ઉખેડી ફેંકશે.તેમ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતુ.

(5:43 pm IST)