Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રાજ્યમાં કોરોના હાંફ્યો : નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082:કુલ 8.15.356 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યમાં આજે વધુ 3.73.351 વ્યક્તિઓને રસીના ડોઝ અપાયા

વડોદરામાં 6 કેસ, સુરતમાં 5 કેસ, અમદાવાદમાં 2 કેસ, ગીર સોમનાથ, મહેસાણા અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 158 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 21 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 21 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.356 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજ્યમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.73.351 વ્યક્તિઓને રસીનાં ડોઝ અપાયાએ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.22.53.771 રસીના ડોઝ અપાયા છે

  રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 158 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.356  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 16 કેસમાં વડોદરામાં 6 કેસ,સુરતમાં 5 કેસ, અમદાવાદમાં 2 કેસ,ગીર સોમનાથ,મહેસાણા અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(8:12 pm IST)