Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરએ રોડનાકામમાં ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

દેલપુરા – ગજાપુર હરીપુરા રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરીને એજન્સીને બેંક લિસ્ટ કરવા સીએમને રજૂઆત

અમદાવાદ : મહેસાણા જિલ્લાના બહુચરાજી વિધાનસભાના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર મામલે સી એમને પત્ર લખવામાં આવ્યો છે બહુચરાજી વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા બહુચરાજી તાલુકાના દેલપુરા – ગજાપુર હરીપુરા રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરીને એજન્સીને બેંક લિસ્ટ કરવા બાબતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવેલ છે.

 

તેમના દ્વારા પત્ર લખી આ રજૂઆત કરવામાં આવેલ છે તેમના દ્વારા આ પત્રમાં જણાવવામાં આવેલ છે કે મંજુર થયેલ રસ્તામાં એસ્ટીમેન્ટ મુજબની કામગીરી થયેલ નથી અને હલકી ગુણવત્તાનો નો સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મટીરીયલ પૂરતા પ્રમાણમાં નહીં વપરાતા માત્ર ૧૦ દિવસમાં રોડ જ તૂટી ગયેલ છે તેમ જણાવી બ્લેક લિસ્ટ મૂકવા માગ કરવામાં આવી છે

(7:30 pm IST)