Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ કોરોના પોઝિટિવ કેસ આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં એક પણ કેસ નોંધાયેલ નથી,નાંદોદ તાલુકામાં ૦૨,ગરુડેશ્વર તાલુકામાં ૦૪, દેડીયાપાડા તાલુકામાં ૦૧, સાગબારા તાલુકામાં ૦૧ તથા તિલકવાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી. નર્મદા જિલ્લામાં આજે કુલ ૦૮ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ૦૫ દર્દી દાખલ છે,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૬૮ દર્દી દાખલ છે. આજે વધુ ૧૦૩૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:45 pm IST)