Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સાબરકાંઠા જીલ્લાના તલોદના ગામની સીમમાં બાવળના ઝાડ પર ગળેફાંસો ખાઇ લેતા યુવક-યુવતિના મોત

મરનાર કોણ છે ? ક્યા કારણોસર આત્મહત્યા કરી ? સહિતની બાબતો તરફ પોલીસ તપાસ

સાબરકાંઠાઃ તલોદ પંથકના મુવાડા ગામની સીમમાં બાવળના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતિની લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળેથી બંનેના મૃતદેહોને પીઍમ અર્થે મોકમુવાડા લી કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠાના તલોદ તાલુકામાં બે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે લાશ મળી આવી હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને ઝાડ પરથી ઉતારી પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભમરેચીના મુવાડા ગામની સીમામાં ઝાડ પર લટકતી બે લાશ મળી આવી હતી. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે લાશ મળી આવતા આસપાસના લોકો સ્થળ ટોળે વળ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંને લાશને ઝાડ પરથી ઉતારવાની કામગીરી હાથ ધરી હતી અને 108 ની મદદથી બંને મૃતદહેને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જો કે, આ યુવક અને યુવતી કોણ છે અને તેમનું કયા કારણોસર મોત થયું તે અંગે તલોદ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસને યુવક અને યુવતીની એક સાથે ઝાડ પર લટકી લાશ મળી આવતા પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો નોંધી બંનેના આત્મહત્યા કરવા પાછળ શું કારણ હતું તે અંગે તપાસ કરી રહી છે.

(4:47 pm IST)