Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સુરતના ઉન રોડ કખતે બાઇકચાલકે વૃદ્ધને ટક્કર મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બંનેના ગંભીર ઇજાથી મોત

સુરત : ઉન રોડ પર બુધવારે રાત્રે બાઈકચાલકે વૃદ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થતા યુવાન બાઈક ચાલક અને વૃદ્ધનું મોત નીપજ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉન પાટીયા ખાતે જલારામ નગરમાં રહેતો 20 વર્ષીય મોહમ્મદ રિઝવાન મકરાણી બુધવારે રાત્રે પાંડેસરાના ગોલ્ડન આવાસમાં રહેતા મિત્રને મૂકીને બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે ઉન નાકા ગોલ્ડન આવાસ બીઆરટીએસ સ્ટેશન પાસેથી પસાર થતા યુસુફ અમીર સૈયદ (ઉં- વ -66 રહે કિસ્મત નગર, લાજપોર, સચિન)ને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે યુસુફ સૈયદને સંતાનમાં બે પુત્રી અને પુત્ર છે. તે ઉન વિસ્તાર બીઆરટીએસ સ્ટેશન પર વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે રિઝવવાનો એક ભાઈ અને બે બહેન છે. તે ટેમ્પો ચલાવી પારિવારને મદદરૂપ થતો હતો. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)