Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વડોદરા:અસાધ્ય બીમારીથી કંટાળી વડોદરાના વેપારીએ પંખાના હુક સાથે લટકી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:અસાધ્ય બીમારીથી  પીડાતા વેપારીએ ઘરે રસોડામાં  પંખાના હુક પર પ્લાસ્ટિકની દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો.જે અંગે લક્ષ્મીપુરા  પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લક્ષ્મીપુરા વિસ્તારમાં વૃંદાલય એવન્યુમાં રહેતા  રોશન કિરીટભાઇ પટેલ (ઉ.વ.૪૧)  ની અલકાપુરી વિસ્તારમાં ડોગ ફૂડની દુકાન છે.છેલ્લા કેટલાક સમયથી તેઓ અસાધ્ય બીમારીથી પીડાતા હતા.ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર પણ કરાવવામાં આવી હતી.પરંતુ, તેઓ બીમારીથી  કંટાળી ગયા હતા.ગઇકાલે તેમના  પત્ની પિયર ગયા હતા.અને પુત્ર કોલેજમાં ગયો હતો.સાંજે તેમનો  પુત્ર કોલેજથી ઘરે  પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો.પુત્રે દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,પિતાએ દરવાજો ખોલ્યો નહતો.જેથી,રૃમની બારીમાંથી તેણે જોયું તો પિતા લટકતા હતા.પુત્રે પાડોશીઓને ભેગા કરીને અંદર જઇને પ્લાસ્ટિકની દોરી કાપીને પિતાને નીચે ઉતાર્યા હતા.લક્ષ્મીપુરા  પોલીસ સ્ટેશનના વિક્રમસિંહે સ્થળ પર જઇને  આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:22 pm IST)