Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અમદાવાદમાં કોરોનાના નવા 20 કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા:વધુ 23 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,13,490 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 32.432 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 188 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો


અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 23 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,13,490 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 32.432 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,83.18.941 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 188 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 1 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 187 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 28 કેસમાં અમદાવાદ શહેરમાં 20 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર ગ્રામ્ય, ખેડા, મહેસાણા અને સુરતમાં 1-1 કેસ નોંધાયો છે.

(8:55 pm IST)