Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

બાવળા-નળસરોવર ખાતેભાજપની બે દિવસીય ચિંતન શિબિર:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત

સી.આર.પાટીલના અધ્યક્ષતામાં યોજાનાર શિબિરમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહેશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે  તમામ પક્ષો દ્વારા તૈયારી કરાઈ રહી છે, ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની ચિંતન શિબિર બાવળા-નળસરોવર ખાતે યોજાશે. આ ચિંતન શિબીર સી.આર.પાટીલના અધ્યક્ષતામાં યોજાવાની છે. આગામી 15 અને 16મી મેના રોજ યોજાનાર આ શિબિરમાં ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ હાજર રહેશે. તો આ શિબિરમાં સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ કમર કસી લીધી છે. નેતાઓ-કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ભાજપ આ ચિંતન શિબિરમાં આગામી ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરશે. સાથે જ પોતાના ટાર્ગેટ 150 સુધી પહોંચવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓને પ્રોત્સાહિત કરશે.

(12:35 am IST)