Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

દેડિયાપાડા તાલુકાના માલ ગામમાં વીજળી પડતા બે વ્યક્તિઓનું સ્થળ પર મોત : પાંચને વ્યક્તિઓને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડા તાલુકાની માલ ગામની સીમમાં તારીખ ૧૧ સપ્ટેમ્બર નાં રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડતો હતો તે  દરમ્યાન માલ ગામની સીમ નજીક આવેલા ખેતરમાં ઝૂંપડું હતું જેમાં ખેતીકામ દરમ્યાન વરસાદ આવતાં આશ્રય લેવા માટે સાત વ્યક્તિઓ બેઠાં હતા અને ત્યારેજ ત્યાં ઝુંપડામાં વિજળી પડતા બે વ્યક્તિઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને દેડિયાપાડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ગંભીર ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં વસાવા બાજુબેન અમરસીંગભાઇ રહે.માલ ( ઉંમર વર્ષ.૫૭ )તથા વસાવા દિનેશભાઇ અજમાભાઇ( રહે સામોટ ) ( ઉંમર વર્ષ.૩૩)  વર્ષની નો સમાવેશ થાય છે.

 

(10:51 pm IST)