Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

તારીખ 14,15,17 સપ્ટેમ્બરે રાજપીપળામાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં આગમી તારીખોમાં ત્રણ દિવસ વીજ પુરવઠો બંધ રાખવા વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે

જેમાં જાણવા મળ્યા મુજબ રાજપીપળા શહેરમાં આગમી તારીખ 14 સપ્ટેમ્બરે 11 કેવી રાજપીપળા અર્બન ફીડર પર સવારે 7 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી જ્યારે તારીખ 15 સપ્ટેમ્બરે 11 કેવી રાજપીપળા પંચવટી ફીડર પર સવારે 7 થી બપોરે એક વાગ્યા સુધી અને તારીખ 17 સપ્ટેમ્બરે 11 કેવી નર્મદા અર્બન ફીડર પર સવારે 7 થી બપોરે એક વાગ્યા સુધી અગત્યના સામારકામ માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે..

 

(10:54 pm IST)