Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજ્યમાં કોરોનાના નવા 187 કેસ નોંધાયા:વધુ 216 દર્દીઓ સાજા થયા:આજે ત્રણ દર્દીઓના મૃત્યુથયા : મૃત્યુઆંક 11,024 થયો :કુલ 12.60.328 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.44.015 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1259 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 187 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 216 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,60.328 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,024 છે, અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને ગીર સોમનાથમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં રિકવરી રેટ 99.04 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.44.015 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,52.41.349 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1259 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1256 દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 187 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 54 કેસ,સુરત કોર્પોરેશનમાં 51 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 25 કેસ, વલસાડમાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 6 કેસ, ભરૂચ, કચ્છ અને વડોદરામાં 4-4 કેસ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,મહેસાણા, નવસારી,રાજકોટ, સાબરકાંઠા અને સુરતમાં 3-3 કેસ, બનાસકાંઠા અને પાટણમાં 2-2 કેસ, અમદાવાદ.ભાવનગર,બોટાદ અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:35 pm IST)