Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના વરાછા વિસ્તારમાં હીરાના વેપારીની હત્યા :હત્યારાઓનું પગેરું મેળવવા FSLની મદદ લેવાઈ

હત્યા કરાયેલુ શબ મળ્યું હતું. જેમાં તેના હાથ પગ બાંધેલી હાલતમાં હતી: 62 વર્ષીય વૃદ્ધ વેપારી ની હત્યા થતા અનેક તર્ક વિતર્ક

સુરતના વરાછા વિસ્તાર માં આવેલ કમલપાર્ક સોસાયટી માં 62 વર્ષીય આધેડની હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે વરાછા પોલોસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં સુરત માં હાલ હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે.સુરત શહેર માં સતત ગુના વધી રહ્યા છે તેવામાં સુરત ના વરાછા વિસ્તાર માં આવેલા કમલપાર્ક સોસાયટી માં હત્યા ની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો

સુરત ના કમલપાર્ક માં હીરા ના કારખાના મા બપોર ના સમયગાળા દરમ્યાન એક 62 વર્ષીય પ્રવીણ ભાઈ નકુમ ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી..આધેડ ની લાશ મળી આવતા પોલીસ ને તાત્કાલિક જાણ કરવામાં આવતા વરાછા પોલીસ મથક નો સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરી કરી હતી.અને લાશ ને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

62 વર્ષીય વૃદ્ધ વેપારી ની હત્યા થતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જેમાં પ્રતિકાર કરવામાં અક્ષમ એવા વૃદ્ધની હત્યા થતા હત્યારાઓનું પગેરું મેળવવા FSLની મદદ લેવામાં આવી હતી.હાલ પોલીસે હત્યારાઓ ને શોધવાની દિશા માં ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમાં તો અત્યારે લઈને અનેક ચર્ચા ચાલી રહી છે કારણ કે જે વેપારીની હત્યા થઈ છે તે વેપારી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને કયા કારણોસર હત્યા કરવામાં આવી તે મહત્વનું છે કારણ કે વેપારી પોતાની ઓફિસમાં જ્યારે એકલા હતા ત્યારે તેની હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાથે વેપારી સાથે અત્યાર પહેલા કોઈ માથાકૂટ થયું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જ્યારે વેપારની હત્યા કરાયેલુ શબ મળ્યું હતું. જેમાં તેના હાથ પગ બાંધેલી હાલતમાં હતી. જેમાં વરાછા પોલીસે આ તમામ અલગ અલગ મુદ્દા ઉપર તપાસ શરૂ કરી અને આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે

(11:10 pm IST)