Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં કોરોનાનો કહેર વધાયો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 નવા કેસ નોંધાયા:વધુ 117 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,14.892 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 85.738 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1102 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 228 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 117 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.892 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું  છે,અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.02 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 85.738  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.07.19.403 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 1102 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 1099 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 228 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 114 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 26 કેસ, સુરત કોર્પોરેશનમાં 20 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 12 કેસ, જામનગર કોર્પરેશનમાં 7 કેસ,સુરતમાં 6 કેસ,નવસારીમાં 5 કેસ, ભરૂચ,ગાંધીનગર,ગાંધીનગર કોર્પોરેશન અને વડોદરામાં 4-4 કેસ, આણંદ ,મહેસાણા,વલસાડમાં 3-3 કેસ, અમદાવાદ, અમરેલી, કચ્છ, અને મોરબીમાં 2-2 કેસ, ભાવનગર જામનગર,પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે 

(7:44 pm IST)