Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સંસ્કૃત માધ્યમના અલગ અલગ ૨૨ પુસ્તકો વાપરવાની મંજૂરી આપતા શિક્ષણમંત્રી વાઘાણી

મધ્યપ્રદેશ રાજ્ય સરકારની મહર્ષિ પતંજલિ સંસ્કૃત સંસ્થાન સંલગ્ન ૨૨૦ સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતાં ૧૦,૦૦૦ થી વધુ છાત્રો શૈક્ષણિક ઉપયોગ કરશે

અમદાવાદ :મધ્યપ્રદેશ રાજ્ય સરકારની મહર્ષિ પતંજલિ સંસ્કૃત સંસ્થાન સંલગ્ન ૨૨૦ સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતાં ૧૦,૦૦૦ થી વધુ છાત્રોના શૈક્ષણિક ઉપયોગ માટે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થાય તે ધ્યાને લેતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સંસ્કૃત માધ્યમના અલગ અલગ ૨૨ પુસ્તકો વાપરવાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણવાળી રાજ્ય સરકારના  શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજ રોજ મંજૂરી આપી છે

(8:40 pm IST)