Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

અમદાવાદ જતી એસ.ટી.બસમાં પાછળના ભાગેથી બોડી ફાટી જતા 77 મુસાફરોના જીવ પડીકે બંધાયા

સેવાલિયા પાસે બનેલ બનાવ : મુસાફરોએ ચીસાચીસ કરી બસ ઉભી રખાવી

અમદાવાદ : અટલાદરાથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં પાછળના ભાગે થી બોડી ફાટી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા . સેવાલિયા પાસે બનેલ બનાવ દરમિયાન બસમાં 77 જેટલા મુસાફરો સવાર હતા . જે મુસાફરોએ ચીસાચીસ કરી બસ ઉભી રખાવી બસમાંથી ઉતરી ગયા હતા .

એસ.ટી. તંત્રની આવી બેદરકારી મામલે સખત કાર્યવાહી કરવા મુસાફરોએ માંગ કરી છે . સેવાલીયા પાસે આવેલ મહીસાગર નદીના બ્રિજ પાસે અટલાદરા થી અમદાવાદ તરફ જતી GJ.18,2,2390 નંબરની એસટી બસમાં 77 મુસાફરો સવાર હતા .

જેમાં એસટી બસના પાછળના ભાગેથી રિવેટો તૂટતા બસનું પતરૂ ફાટવાનો અવાજ આવતા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી . મુસાફરોએ દોરી ખેંચી બસ ઉભી રખાવી હતી , જે બાદ તમામ મુસાફરો જીવ બચાવવા એસટી બસની નીચે ઉતરી ગયા હતા.

મુસાફરોએ રોષ પૂર્વક જણાવ્યું હતુ કે એસટી વિભાગની ઘોર બેદરકારી આજે કેટલીય જિંદગીનો ભોગ લેત . એસટી વિભાગના જવાબદારો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો કિસ્સો સેવાલીયા પાસે ઘટી ચુક્યો છે . એસટી બસમાં સવાર તમામ મુસાફરોનો એક જ સુર છેકે આવા બેદરકાર જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ

(7:15 pm IST)