Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગુજરાત સરકારના જૂઠાણાનો પર્દાફાશ કરતા શકિતસિંહ ગોહિલ

અમદાવાદ તા. ૧૯ : કોંગ્રેસના રાજયસભાના સાંસદ અને ગુજરાતના પૂર્વ કેબિનેટ પ્રધાન શકિતસિંહ ગોહિલે ગુજરાતની સરકાર ઉપર  આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે આ સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.

ગુજરાત સરકારે એવું કહ્યું હતું કે રાજયમાં કોરોનાથી માત્ર દસ હજાર લોકોના જ મૃત્યુ થયા છે. આ સરાસર જૂઠું નીકળ્યું છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ ગુજરાત સરકારે કહ્યું છે કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૮૯૬૩૩ (૯૦ હજાર આસપાસ) લોકોના કોરોનાથી મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાંથી ૬૮૭૩૦ દાવાઓ સાચા માલૂમ પડ્યા છે. ૪૨૩૪ રિજેકટ કરવામાં આવ્યા અને ૧૭૦૦ આવા કોરોનાથી મૃત્યુ થયાના દાવાઓ પ્રોસેસમાં છે.

(10:11 am IST)