Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નર્મદામાં કોરોના વિસ્ફોટ, નર્મદા જિલ્લામાં મંગળવારે ૪૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

(ભરત શાહ દ્વારા): આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૧૨ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૦૮, ગરુડેશ્વર તાલુકામાં ૧૩, દેડીયાપાડા તાલુકામાં ૦૨, સાગબારા તાલુકામાં ૦૮ તથા તિલકવાડા તાલુકામાં ૦૫ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૪૮ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ દાખલ નથી,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૪૫ દર્દી દાખલ છે. આજે વધુ ૧૦૪૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(11:41 am IST)