Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

તરોપા ગામમા નજીબી બાબતે એક વ્યક્તિને પથ્થર મારી ઇજા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામે નજીવી બાબતે એક ઇસમને પથ્થર મારી ઇજા કરતા શખ્સ વિરુદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે
  મળતી માહિતી મુજબ તારીખ 17 જાન્યુઆરી એ બપોરે 12  વાગે બનેલા બનાવ બાબતે જીજ્ઞેશભાઈ માધુસિંગભાઈ વસાવા (રહે.તરોપા વેરાઈ ફળીયા )ઓએ આપેલી ફરીયાદ અનુસાર તેઓ ગામમાં મંદિર પાસે બેઠા હતા ત્યાં ગામના ઈશ્વર લકડીયા ભાઈ વસાવા આવી કહેવા લાગ્યો કે અહીંયા પાઇપલાઇન માં માટીનું પુરાણ કરવાનું બાકી છે તો તું મને તેમાં મદદ કરજે તેમ જણાવ્યા બાદ જીજ્ઞેશભાઈ ત્યાંથી જતા હતા ત્યારે ઈશ્વરભાઈએ પાછળથી માથામાં પથ્થર મારી દેતા લોહી નિકળતા જીગ્નેશ ભાઈને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.હાલ તેઓ સારવાર હેઠળ છે.આમલેથા પોલીસે ઈશ્વર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:47 am IST)