-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
કવોરન્ટાઇન થવાના ડરથી કોરોના ટેસ્ટ નથી કરાવતા લોકો
કોરોનાના દર્દીઓમાં તાવ - શરદી જેવા સામાન્ય લક્ષણો દેખાય છે : તંત્રએ માઇક્રો કન્ટેનમેન્ટનો સમયગાળો સાત દિવસ કરી નાંખ્યો
અમદાવાદ તા. ૧૯ : શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ સતર્ક થઈ ગઈ છે. કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિનું નિર્માણ ફરી ન થયા તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બર, ૨૦૨૧માં દરરોજ લગભગ ૮૦૦૦ લોકોના કોરોના ટેસ્ટ થતા હતા, જે સંખ્યા હવે વધીને ૩૦,૦૦૦ જેટલી થઈ ગઈ છે.
પરંતુ સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની ફરિયાદ છે કે લોકો કોરોના ટેસ્ટ કરવા માટે ઘણી આનાકાની કરતા હોય છે. લોકો કોરોના ટેસ્ટ કરવાનું ટાળતા હોય છે, તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે. એક તો લોકોમાં કવોરન્ટાઈન થવાનો ભય હોય છે, તેમજ અત્યારે કોરોનાના દર્દીઓમાં લક્ષણો અત્યંત સામાન્ય જોવા મળતા હોય છે, જેના કારણે લોકો કોરોનાની ગંભીરતાને સમજતા નથી.
સ્વાસ્થ્ય વિભાગના એક કર્મચારી જણાવે છે કે, અમારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ દરમિયાન અમે જોયું કે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવાનું ટાળતા હોય છે, કારણકે તેમને બીક હોય છે કે જો તેઓ પોઝિટિવ આવશે તો તેમણે એક અઠવાડિયા માટે હોમ કવોરન્ટાઈન થવું પડશે. લોકડાઉન દરમિયાન લોકોના જીવન ઘણાં પ્રભાવિત થયા છે અને ખાસકરીને આર્થિક રીતે લોકોએ નુકસાન વેઠવું પડ્યું છે, માટે તેઓ ફરીથી તે પ્રક્રિયામાંથી પસાર થવા નથી માંગતા.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા માઈક્રો-કન્ટેઈનમેન્ટનો સમયગાળો ૧૪ દિવસથી ઘટાડીને ૭ દિવસ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ જણાવે છે કે, હવે લોકો કોરોનાના નવા વેરિયન્ટને સામાન્ય ફલૂ અને શરદી-ખાંસી જ સમજે છે અને પહેલાની જેમ લોકોમાં ડર પણ નથી રહ્યો. કોરોનાની પહેલી અને બીજી લહેરની સરખામણીમાં અત્યારે લક્ષણો અત્યંત સામાન્ય હોવાને કારણે લોકો તેને ગંભીરતાથી નથી લેતા.
એક સ્વાસ્થ્ય કર્મચારી જણાવે છે કે, ઓમિક્રોનના દર્દીઓને થોડા દિવસ માટે સામાન્ય તાવ આવે છે અને ગળામાં ખારાશની સમસ્યા હોય છે. કોરોના મહામારીના શરૂઆતના સમયમાં આપણે જોયું કે, આ લક્ષણોની સાથે સાથે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા પણ થતી હતી. અત્યારે લોકોને શ્વાસની તકલીફ નથી થતી. અને આ જ કારણે લોકો સમજે છે કે ઠંડીના કારણે થતી સામાન્ય શરદી અને ખાંસી છે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ મહામારીની ગંભીરતાને જોઈ અને ત્યારે લોકો ટેસ્ટ કરાવતા હતા.