Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

આદિત્‍ય બિરલા હાઉસીંગ ફાઈનાન્‍સ દ્વારા ગુજરાતમાં વધુ ૪ બ્રાંચ શરૂ

(કેતન ખત્રી), અમદાવાદઃ  આદિત્‍ય બિરલા હાઉસીંગ ફાઈનાન્‍સની આદિત્‍ય બિરલા કેપીટલ લીમીટેડ, દ્વારા રાજ્‍યમાં તેની સેવાઓને વધુ સારી બનાવવા ગુજરાતમાં ચાર નવી બ્રાન્‍ચ શરૂ કરવાની જાહેરાત કરી.એબીએચએફએલ એ ગાંધીનગર, નવસારી, જુનાગઢ અને ભાવનગરમાં તેની ફુલ-સર્વિસ બ્રાન્‍ચનું લોકાર્પણ કર્યું. એબીએચએફએલની હાલમાં ગુજરાતમાં ૧૪ બ્રાન્‍ચ છે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, વાપી, મહેસાણા, અંકલેશ્વર અને આણંદનો સમાવેશ થાય છે.
આ વિસ્‍તરણ વિશે જણાવતા, શ્રી રાકેશ સિંઘ, ડિરેક્‍ટર, આદિત્‍ય બિરલા હાઉસિંગ ફાઈનાન્‍સ લિમિટેડ કહે છે, રાજયમાં એબીએચએફએલની હવે ૧૪ બ્રાન્‍ચ થઈ ગઈ છે, અમે ગ્રાહકોની જરૂરિયાતને સમજીને તેને અલગ જ પ્રકારના નાણાંકીય ઉકેલને પૂરા પાડીએ, સાથોસાથ દરેકના પોતાના ઘરના સપનાના લક્ષ્યાંકને પુરું પાડી શકીએ. હવે અમે સ્‍થાનિક લોકોને અમારી સેવાઓ પૂરી પાડવા માટે વિસ્‍તરણ કરી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

 

(2:27 pm IST)