Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજપીપળા ધાણકવાડમાં લાગેલી આગમાં ભરૂચ FSLની ટીમ તપાસ હાથ ધરી જરૂરી સેમ્પલ એકત્ર કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ધાણકવાડના રહેણાંક મકાનમાં લાગેલી આગ બાબતે આજરોજ ભરૂચ એફએસએલની ટિમ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી

તારીખ 14 જાન્યુઆરીએ સવારે લગભગ 2.30 વાગે રાજપીપળાના નવા ફળીયા ધાણકવાડમાં રહેતા ગુલામનબી રસુલભાઈ ગરાસિયાના ઘરમાં અચાનક ગેસનો બોટલ ફાટતા આગ લાગી જેમાં બંધ ઘરમાં આગ પ્રસરતા આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું ત્યારબાદ ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી જતા આગને કાબુમાં લીધી હતી પરંતુ આગમાં આખુ ઘર અને ઘરબખરી બળી જતા પરિવાર બેઘર બન્યું હતું. જેમાં અંદાજે એક લાખ રૂપિયાનું નુકશાન થયું હોય રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઈ એફએસએલને જાણ કરી હતી તે સંદર્ભે ભરૂચ એફએસએલની ટીમ આજરોજ ઘટના સ્થળે આવી તપાસ કરી જરૂરી સેમ્પલ એકત્ર કર્યા હતા .

(10:48 pm IST)