Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

પ્રજા અને કાર્યકરો વચ્ચે રહીને કામ કરોઃ કોન્ટ્રાકટરગીરીથી દુર રહી પ્રામાણિકતાથી કામ કરો

અમદાવાદના ૧૬૦ કોર્પોરેટરો સાથે CMની બેઠક

અમદાવાદ, તા.૧૯: CM રૂપાણીએ અમદાવાદના ભાજપના ૧૬૦ કોર્પોરેટરો સાથે ગઈકાલે ખાનગી ફાર્મ હાઉસમાં ડિનર બેઠક કરી હતી. ભાજપના તમામ કોર્પોરેટરને મુખ્યમંત્રી દ્વારા પ્રજા અને કાર્યકરો વચ્ચે રહીને કામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી તથા જનતાના મેન્ડેટનો આદર કરી પ્રજાલક્ષી કામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ સિવાય મુખ્યમંત્રીએ કોર્પોરેટરોને જમીન પર રહીને કામ કરવા સૂચના આપી તથા કહ્યું કે કોર્પોરેટર તરીકે સારૂ કામ કરશો તો આગળ ધારાસભ્ય તથા સાંસદ બનવાની પણ તક પણ મળશે.

પોતે પણ કોર્પોરેટરમાંથી મુખ્યમંત્રી બન્યા હોવાનું આપ્યું ઉદાહરણ

ખાનગી ફાર્મ હાઉસમાં મળેલી આ બેઠકમાં સીએમ રૂપાણીએ કોર્પોરેટરોને 'કોન્ટ્રાકટર' ગીરીથી દુર રહી પ્રામાણિકતાથી કામ કરવા ટકોર પણ કરી છે.

CMએ પોતે પણ કોર્પોરેટરમાંથી મુખ્યમંત્રી બન્યા હોવાનું ઉદાહરણ આપ્યું અને કોર્પોરેટરોને સમજાવ્યું કે તે કામ કરશે આગળ ઘણી તક મળશે. CMએ સમજાવ્યું કે લાંબી રાજકીય કારકિર્દી માટે પ્રામાણિકતા જરૂરી અને કોર્પોરેટર તરીકે સારૂ કામ કરશો તો આગળ વધશો.

(3:48 pm IST)