Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

મોડાસા:રતનપુર-શામળાજી હાઇવે નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પાછળ ઘુસી જવાથી સર્જાયેલ અકસ્માતમાં બે યુવકો પૈકી એકનું મોત

મોડાસા:રતનપુર-શામળાજી હાઈવે રોડ ઉપર શામળાજી પાસે કારના ચાલકે બેદરકારીપૂર્વક પુરઝડપે હંકારી આગળ જતી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ  મોત નીપજયું હતું.

જયારે અન્ય એકને ઈજાઓ થતાં તાબડતોડ સારવાર અર્થે ખસેડાયા હતા. આમ  ડસ્ટર ગાડી ટ્રક પાછળ ઘૂસી જતાં એકનું મોત નીપજયું હતું.આ અંગે શામળાજી પોલીસ મથકે ફરીયાદ કરાઈ હતી.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં સંદીપભાઈ ભીખાભાઈ પરમાર ડસ્ટર ગાડી લઈને રતનપુર થી શામળાજી તરફ આવી રહયા હતા.તે દરમ્યાન શામળાજી નજીક એચ.જી.વિદ્યાલય પાસે થી પસાર થઈ રહયા હતા.તે દરમ્યાન પુરઝડપે કાર હંકારતાં આગળ જતી ટ્રક પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર સંદીપભાઈ ભીખાભાઈ પરમાર ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું.  જયારે કિરણભાઈ રામશંકર ઉપાધ્યાય (ગાંધીનગર) ને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આમ મોડી રાત્રે હાઈવે રોડ ઉપર અકસ્માતની ઘટના સર્જાઈ હતી.જેમાં કાર ચાલકનું મોત નીપજયું હતું.આ અંગે ભીખાભાઈ ભરૂભાઈ પરમાર રહે.ચાંદખેડા, અમદાવાદ નાઓએ શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:24 pm IST)